-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
આસામમાં બગીચાઓમાંથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ચાની પત્તીઓ તોડી
આસામમાં ચૂંટણીઓને લઈને પક્ષો પ્રચારમાં વ્યસ્ત : મજૂરો સાથે વાત કરી, આસામની બહુરંગી સંસ્કૃતિ જ આસામની શક્તિ હોવાની કોંગ્રેસનાં નેતાએ ટ્વીટ કરી
નવી દિલ્હી, તા. ૨ : આસામ વિધાનસભા ચૂંટણીને પગલે રજકીય પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા બે દિવસના આસામ પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે મંગળવારે તેઓ રાજ્યના સઘારુ ટી સ્ટેટ પહોંચ્યા હતા. અહીં તેમણે ચાના બગીચાના મજૂરો સાથે મુલાકાત કરી હતી. આટલું જ નહીં, તેઓ બગીચામાં ચાની પત્તીઓ તોડતા જોવા મળ્યા હતા.
આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું કે, આસામની બહુરંગી સંસ્કૃતિ જ આસામની શક્તિ છે. આસામ યાત્રા દરમિયાન લોકોને મળીને અહેસાસ થયો કે લોકો આ બહુરંગી સંસ્કૃતિને બચાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પોતાની સંસ્કૃતિ અને વારસો બચાવવા માટે આસામના લોકોની લડાઇમાં કોંગ્રેસ પાર્ટી તેમની સાથે છે.
આસામ પ્રવાસના બીજા દિવસે મંગળવારે આજે પ્રિયંકા ગાંધીની તેજપુરમાં એક જાહેરસભા પણ યોજાશે. ગઇકાલે સોમવારે પ્રિયંકા ગાંધીએ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આ સાથે જ તેમણે બે દિવસીય પ્રવાસની શરૃઆત કરી હતી. આસામમાં ૧૨૬ વિધાનસભા બેઠકો માટે ૨૭મી માર્ચે, એક એપ્રિલ અને છ એપ્રિલે મતદાન યોજાશે.