Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

નેપાળના પીએમ શેર બહાદુર દેઉબા ભારતની ત્રિદિવસીય મુલાકાતે: ભાજપ હેડક્વાર્ટરમાં જેપી નડ્ડા સાથે કરશે ચર્ચા

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ નેપાળના વડાપ્રધાનને પત્ર લખીને તેમની ભારત મુલાકાત દરમિયાન મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા ભારતની ત્રણ દિવસીય મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ બીજેપી હેડક્વાર્ટર જશે અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળશે. ભાજપના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા આવતીકાલે સાંજે 5.30 કલાકે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા ભાજપ કાર્યાલય પહોંચશે.બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ નેપાળના વડાપ્રધાનને પત્ર લખીને તેમની ભારત મુલાકાત દરમિયાન મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે, આ પહેલીવાર છે જ્યારે નેપાળના વડાપ્રધાન બીજેપી હેડક્વાર્ટર જશે અને પાર્ટી અધ્યક્ષને મળશે.

આ પહેલા પણ વર્ષ 2007-08માં નેપાળના તત્કાલિન વડાપ્રધાન પુષ્પ કુમાર દહલ પ્રચંડ પણ બીજેપી અધ્યક્ષ રાજનાથ સિંહને મળી ચુક્યા છે, પરંતુ આ મુલાકાત પાર્ટી હેડક્વાર્ટરમાં નહીં પરંતુ રાજનાથ સિંહના નિવાસ સ્થાને થઈ હતી. હાલમાં નેપાળે જે રીતે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પશ્ચિમી દેશો પ્રત્યે આકર્ષક વલણ અપનાવ્યું છે, આવી પરિસ્થીતિમાં સરકારથી સરકારની મંત્રણા સિવાય, બીજેપી પ્રમુખ અને નેપાળના પીએમ વચ્ચેની આ પ્રસ્તાવિત બેઠક બંને દેશો વચ્ચે પહેલેથી જ ચાલી રહેલી નિકટતાને વધુ ગાઢ બનાવશે તેવી અપેક્ષા છે.

નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા 50 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે ભારતની પ્રથમ મુલાકાતે આવતીકાલે દિલ્હી પહોંચશે. વડાપ્રધાનના પ્રેસ વડા ગોવિંદ પરિયારે પીટીઆઈને જણાવ્યું હતું કે વડાપ્રધાન દેઉબા સાથે તેમની પત્ની આરજુ દેઉબા, ચાર કેબિનેટ પ્રધાનો, સરકારી સચિવો, વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સહિત કુલ 50 લોકો હશે. ગુરુવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં દેઉબાના પ્રતિનિધિમંડળના સભ્યોના નામની પુષ્ટિ કરવામાં આવી હતી, જેમાં વિદેશ પ્રધાન ડૉ. નારાયણ ખડકા, ઊર્જા, જળ સંસાધન અને સિંચાઈ પ્રધાન પમ્ફા ભુસાલ, આરોગ્ય અને વસ્તી પ્રધાન બિરોદ ખાટીવાડા, કૃષિ અને પશુ બાબતોના પ્રધાન મહેન્દ્ર રાય યાદવનો સમાવેશ થાય છે.

(12:34 am IST)