Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

કેનેડાએ ભારતની યાત્રા પર લગાવ્યો 21 સપ્ટેબર સુધીનો પ્રતિબંધ

નવી દિલ્હી:કેનેડાએ કોરોના મહામારીના કારણોસર ઉત્પ્ન્ન થયેલ જોખમના કારણોસર ભારતથી સીધી યાત્રાની ફ્લાઇટ પર 21 સપ્ટેબર સુધી પ્રતિબંધ વધારી દીધો હોવાનું માલુમ પડી રહ્યું છે. સંઘીય પરિવહન મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  કેનેડાએ એપ્રિલથી ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરને ધ્યાનમાં રાખીને ત્યાં આવતી જતી બધી જ  ફ્લાઇટ પર સીધો પ્રતિબંધ લગાવી દીધો છે. પહેલા પણ ઘણીવાર ફ્લાઇટ બંધ કરી દેવામાં આવી હતી અને ક્યારેક રદ પણ કરી દેવામાં આવી હતી. કેનેડાના લોકોના સ્વાસ્થ્યની રક્ષા અને તેમની સુરક્ષા માટે  પગલું ભર્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:13 pm IST)