Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

ભારત તિબ્બત સમન્વય સંઘના નર્મદા જિલ્લાના અધ્યક્ષ તરીકે અતુલકુમાર વસાવાની વરણી કરવામા આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારત તિબ્બત સમન્વય સંઘ એ ભારત અને તિબ્બતના સંબંધોને મજબૂત બનાવવા માટે સંકલન અને સમન્વય કરતી નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન (સંગઠન) છે.જેનો ઉદ્દેશ તિબ્બત નું સમર્થન અને તેની આઝાદી માટે અને કૈલાશ માન સરોવરની મૂકતી અને ભારતની સુરક્ષા માટે નો છે.

 સંઘના રાષ્ટ્રીય મહિલા વિભાગના અધ્યક્ષ ડૉ, રુચિ ચતુર્વેદ અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ભાવેશ જોશી તેમજ ગુજરાત પ્રાંતના પ્રદેશ મહિલા અધ્યક્ષ ડૉ, મૃણાલિની ઠાકરની સહમતીથી ભારત તિબ્બત સમન્વય સંઘના નર્મદા જિલ્લાના અધ્યક્ષ તરીકે જાગૃત ,અને પ્રામાણિક પ્રતિભાશાળી સામાજિક કાર્યકર્તા તરીકે નાંદોદ તાલુકાના ગામકુવા ગામના અતુલકુમાર વસાવા ની નિમણુંક  કરવામાં આવી છે.
 અતુલકુમાર છેલ્લા પાંચ વર્ષથી નર્મદા  જિલ્લામાં નર્મદા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ ના ચેરમેન તરીકે પણ કામ કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લામાં પણ તાલુકા સંગઠન મંત્રી તરીકે પણ સેવાકીય ફરજો બજાવી ચુક્યા છે અને આજે પણ નર્મદા જિલ્લામાં એક સારા સેવાકીય કાર્યકર્તા તરીકે સક્રિય રહી સામાજિક સેવાની સુંદર કામગીરી કરી રહ્યા છે, જનતામાં તેમની ઓળખ એક પ્રામાણિક સુશિક્ષિત ઉમદા અને નિષ્ઠાવાન કાર્યકર તરીકેની છે તેઓ સતત કાર્યશીલ કાર્યકર્તા તરીકેની ખુબજ ઉમદા કામગીરી કરી છે.

(10:12 pm IST)