Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

સુરતમાં કોરોનામાં પરિવારના સભ્યો મોતને ભેટતા વૃધ્ધે ગળેફાંસો ખાઈ મોતનેવહાલુ કરતા અરેરાટી મચી જવા પામી

સુરત: કોરોનામાં પત્ની, પુત્ર, માતા અને ભાઇના અવસાન થવાથી માનિસક બિમારીમાં સપડાયેલા ભેસ્તાનના વૃધ્ધે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ભેસ્તાનમાં શાંતિવન રેસીડન્સીમાં રહેતા60 વર્ષીય  અનીલભાઇ રામદાસ પાટીલે આજે વહેલી સવારે ઘરમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ. પોલીસે કહ્યુ કે અનીલભાઇએ વર્ષ 2020માં કોરોના કહેરમાં પત્ની, પુત્ર, માતા અને ભાઇ ગુમાવ્યા હતા. ત્યારબાદ સતત તે ટેન્શનમાં રહેતા હોવાથી માનસિક બિમારીમાં સપડાયા હતા.  તે રીક્ષા ચલાવતા હતા પણ બે માસથી વધુ ટેન્શન હોવાથી રીક્ષા ચલાવવાનું પણ બંધ કરી દીધુ હતુ.  હાલમાં તેમની પુત્ર વધુ, પૌત્ર સહિતના પરિવારના સભ્યો છે. આ અંગે ડીંડોલી પોલીસે તપાસ હાથ ઘરી છે.

(6:50 pm IST)