Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

વડોદરા:પરિણીતા પર શારીરિક-માનસિક ત્રાસ ગુજારી દહેજની માંગણી કરનાર પતિ સહીત સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: લગ્ન બાદ શારીરિક અને માનસિક ત્રાસ આપી છૂટાછેડા માંગતા હોવાના આક્ષેપ સાથે પરણીતાએ પતિ તથા સાસુ - નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાવ સંદર્ભે પોલીસે સ્ત્રી અત્યાચાર ,દહેજ પ્રથા, મારામારી ,ધાક ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાના વાઘોડિયા રોડ ખાતે રહેતી 36 વર્ષીય મહિલાએ ફરિયાદમાં કહ્યું હતું કે, મારા લગ્ન વર્ષ 2009 દરમિયાન ડભોઇ ખાતે રહેતા વિશ્રવાસ મનુભાઈ પંચાલ સાથે થયા હતા. લગ્નની શરૂઆતથી સાસરિયાઓએ માનસિક તથા શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અદાલતમાં ભરણપોષણના દાવા બાદ વખત સમાજના લોકોએ સમાધાન કરાવ્યું છે. પુત્રનો  બચાવ કરતા પતિએ ત્રણથી ચાર વખત મારું માથું ભીતમાં પછાડ્યું હતું. પતિના ત્રાસના કારણે મારા પિતા પણ  તાત્કાલિક કેનેડાથી વડોદરા દોડી આવ્યા હતા. તું કરોડપતિ છે તારી પાસે ઘણી મિલકત છે તેવું કહી પતી જાહેરમાં અપમાન કરતો હતો. પતિ મારા માતા-પિતાને ઝઘડો કરી જણાવતો હતો કે તમારી દીકરીને જમવાનું બનાવતા ,છોકરા સાચવતા આવડતું નથી અને તમારી છોકરીને સાચવવા મારી પાસે પૈસા નથી. તમે તમારી દીકરી તથા તેના પુત્રને લઈ અમને છૂટું આપી દો. સાસુ તથા નણંદે ધક્કા મારી અને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે પતિ તથા સાસરી પક્ષના ત્રણ સભ્યો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:51 pm IST)