Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

સિરિયલ‘દિલદિયા ગલ્લાંમાં ' દિલપ્રીત તેનું ગિરવે મુકેલ ઘર ગુમાવે છે

(કેતન ખત્રી), અમદાવાદઃ સોની સબ પર દિલ દિયાં ગલ્લાં ત્રણ પેઢીની વાર્તા છે, જેમાં પ્રથમ બે પેઢી માફ કરવા અને ભૂલવા માટે તૈયાર નથી, પરંતુ ત્રીજી પેઢી આવતાં તેમના ભૂતકાળનો સામનો કરવા મજબૂત બને છે. આગામી એપિસોડમાં શો અણધારી ઘટનાઓને લીધે એવા તબક્કામાં પહોંચશે, જયાં દિલપ્રીત (પંકજ બેરી) અને મનદીપ (સંદીપ બસવાના) વચ્‍ચેના સંબંધો વધુ તંગ બને છે.આ સપ્તાહમાં મનદીપ અને સંજોત (જસજિત બબ્‍બર) પચીસ વર્ષ પછી પહેલી વાર મળે છે અને બ્રાર પરિવારમાં ભરપૂર ખુશી આવે છે.

હોળીનો તહેવાર આવતાં આખો પરિવાર તૈયારીમાં લાગે છે. જોકે ઉજવણી વચ્‍ચે દિલપ્રીતની દુનિયા પડી ભાંડે છે, કારણ કે હોસ્‍પિટલ માટે યંત્રો ખરીદી કરવા માટે તેણે ગિરવે મૂકેલું ઘર મનદીપ વેચી મારે છે અને ઘર ખાલી કરવા માટે દિલપ્રીતને નોટિસ મળે છે. તેમ સિરીયલની સ્‍ટોરી વિષે દિલપ્રીતનું પાત્ર ભજવતા પંકજ બેરીએ જણાવ્‍યું હતું.

(4:41 pm IST)