Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 12 નવા કોરોના કેસ નોંધાયા અને સાથે વધુ 22 દર્દીઓ સાજા થયા : રાજયમાં આજે પણ કોઈ કોરોના દર્દીનું મૃત્યુ નથી નોંધાયું : રાજ્ય નો કુલ મૃત્યુઆંક 10,942 : કુલ 12,13,149 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 88,932 લોકોનું રસીકરણ કરાયું

રાજકોટ શહેરમાં ઘણા દિવસો બાદ કોરોનાની રી-એન્ટ્રી : આજે પણ મોટા ભાગ નાં કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા : રાજયમાં હાલમાં 91 કોરોના નાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા 24 કલાક માં આજે કોરોનાના નવા 13 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 32 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે રાજકોટ શહેરમાં ઘણા દિવસો બાદ કોરોનાની રી-એન્ટ્રી થતાં 1 નવો કેસ નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ 12,13,149 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે પણ રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી અને રાજ્યનો કુલ મૃત્યુઆંક 10.942 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 99.10 ટકા જેટલો છે.

રાજયમાં રસીકરણ અભિયાન વેગવાનતું રહેતા આજે રાજયમાં વધુ 88,932 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 10,68,70,822 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે. રાજ્યમાં હાલ 91 એક્ટિવ કોરોના ના કેસ છે અને આ તમામ 91 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 12 કેસમાં અમદાવાદમાં 10 કેસ અને વડોદરા શહેર - રાજકોટ શહેરમાં 1-1 કેસ નોંધાયો છે.

(8:53 pm IST)