Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

સુરતના મોટા વરાછામાં અમરોલી જતા વૃદ્ધ દંપતીને ટ્રકે હડફેટે લેતા ગંભીર ઇજાથી મોત

સુરત: મોટા વરાછા ખાતે પુત્રીના ઘરે પ્રસંગ હોવાથી જતી વખતે અમરોલી ખાતે મોપેડને ટ્રકે ટક્કર મારતા સર્જાયેલા અકસ્માત ગંભીર ઈજા પામેલા વૃદ્ધ દંપતીનું મોત થયું હતું. જ્યારે તેમનો પૌત્રને ઇજા થઇ હતી. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પુણાગામ બીઆરટીએસ જંકશન પાસે દયારામ સોસાયટીમાં રહેતા 64 વર્ષીય ઉકાભાઇ કાળાભાઈ શિંગાળા તથા તેમની પત્ની સવિતાબેન અને 12 વર્ષનો પૌત્ર હેત સાથે સોમવારે સાંજે મોપેડ પર મોટા વરાછા ખાતે વિશ્વનાથ સોસાયટીમા રહેતી તેમની પુત્રી નયનાબેનના ઘરે પ્રસંગ હોવાથી જમવા જતા હતા. તે સમયે અમરોલીના મોટા વરાછા તળાવ પાસે જૂની ચેક પોસ્ટ નજીક પૂરપાટ હંકારતા ટ્રકચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઈજા થતાં વૃદ્ધ દંપતીનું ઘટના સ્થળે કમાટી ભર્યુ મોત નિપજયું હતું. જ્યારે તેમના પૌત્રને નાની મોટી ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. નોંધનીય છે કે ઉકાભાઇ મૂળ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જેસર ગામના વતની હતા. તેમને સંતાનમાં પાંચ પુત્રી અને એક પુત્ર હીરાના કામ સાથે સંકળાયેલો છે. જ્યારે ઉકાભાઇ છૂટક કામકાજ કરતા હતા. આ અંગે અમરોલી પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(5:32 pm IST)