Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

રાજેન્‍દ્ર ત્રિવેદી સહિત ત્રણ પ્રધાનો પાસે રિપોર્ટ કાર્ડ માંગતા વડાપ્રધાન

અમદાવાદ : વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી સાથે આજે અમદાવાદ ખાતે રાજ્‍યના ત્રણ મંત્રીઓએ મુલાકાત કરી હતી જેમાં મહેસુલ મંત્રીશ્રી રાજેન્‍દ્ર ત્રિવેદી, માર્ગ અને મકાન મંત્રીશ્રી પુર્ણેશ મોદી અને રાજ્‍યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે. શ્રી નરેન્‍દ્રભાઇએ ત્રણેય પ્રધાનો સાથે તેમના મંત્રાલયની કામગીરી અંગે પૃચ્‍છા કરી હોવાનું પણ જાણવા મળે છે. ત્રણેય પ્રધાનો પાસેથી રિપોર્ટ કાર્ડ માંગ્‍યુ હોવાનું  પણ જાણવા મળે છે.

 

(3:55 pm IST)