Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

નર્મદા : નિવૃત કર્મચારી મંડળ દ્વારા પડતર માંગણીઓને લઈ કલેકટર, મામલતદાર ને આવેદન અપાયું

 
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપળા અને નાંદોદ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા આજરોજ જિલ્લા કલેકટર અને મામલતદારને મુખ્યમંત્રીને સંબોધતુ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનમાં જણાવ્યા મુજબ  તાઃ- ૦૭-૧૨-૨૦૨૧ ને મંગળવારના રોજ ગુજરાત રાજયના દરેક જિલ્લાએમાં ક્લેક્ટરને અમારા પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપ્યું હતું . જે બાબતે આજ દિન સુધી આપના તરફથી કોઇ પણ પ્રશ્ન બાબતે હકારાત્મક જવાબ અમોને આજ દિન સુધી મળેલ નથી . તો અમો આશા રાખીએ છીએ કે આપને અમોને શક્ય તેટલા વહેલા પ્રશ્નો બાબતે હકારાત્મક ઉકેલ આપવા આવેદનપત્ર માં જણાવાયું છે સાથે સાથે અમારા પ્રશ્નો બાબતે વહેલી ઉકેલ નહી આવે તો અમારે ( પેન્શનરોએ ) નાછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવો પણ ઉલ્લેખ કરાયો છે.
આવેદનપત્ર માં પ્રમોદભાઈ તડવી (પ્રમુખ, નાંદોદ તાલુકા રાજપીપળા શહેર નિવૃત્ત કર્મચારી મંડળ), વસુદેવભાઈ પંચાલ(મંત્રી,નાંદોદ તાલુકા રાજપીપળા શહેર નિવૃત્ત કર્મચારી મંડળ),ઉપ પ્રમુખ દિનેશભાઇ પાટણવાડીયા, નાંદોદ તાલુકા રાજપીપળા શહેર નિવૃત્ત કર્મચારી મંડળ)નાઓ હાજર રહ્યા હતા.

(12:08 am IST)