Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

અંબાજી પગપાળા જઈ રહેલા ત્રણ પદયાત્રીઓના રાણપુર નજીક અજાણ્યા વાહન અડફેટે કરૂણમોત

અંબાજી નજીક રાણપુર વિસ્તારમાં હિટ એન્ડ રન :અજાણ્યા વાહનની અડફેટે 2 તરૂણો અને 1 બાળકીના મોત : મધરાત્રે ત્રણેક વાગે 5 લોકોને ટક્કર મારી જેમાં 3ના ઘટના સ્થળે મોત: 2 પદયાત્રીઓ ઘાયલ

અંબાજી ભાદરવી પૂનમના દર્શનાર્થે માઈભક્તોનો પ્રવાહ વધી રહ્યો છે. ત્યારે રાણપુર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહનની અડફેટે 3 પદયાત્રીના મોત થયા છે. અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં 2 તરૂણો અને 1 બાળકીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
અંબાજીમાં ભાદવરા મહિનામાં પદયાત્રીઓ મોટા પ્રમાણમાં અંબાજી જતા હોય છે. આ વખતે અંબાજીનો મેળો રદ કરવામાં આવ્યો છે. પરંતુ લાખો પદયાત્રીઓ પગપાગા અંબાજી પહોંચીને માતાના દર્શન કરે છે. ત્યારે આવા જ કેટલાક પદયાત્રીઓને અક્સમાત નડ્યો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, અજાણ્યા વાહને મોડી રાતે આશરે ત્રણેક વાગે અંધારામાં 5 લોકોને ટક્કર મારી હતી. જેમાં 3ના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો 2 પદયાત્રીઓ ઘાયલ થયા છે.

(11:25 am IST)