Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

વડોદરાના માંજલપુર સહીત ભાયલી વિસ્તારમાં બે મકાનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકતા ઘરવખરી બળીને ખાખ

વડોદરાઃ માંજલપુર અને ભાયલી વિસ્તારના બે મકાનમાં આજે બપોરે લાગેલી આગને કારણે ઘરવખરીને નુકસાન થયું હતું.જ્યારે,બંને બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. માંજલપુર કબીર મંદિર પાછળ નારાયણ બંગ્લોઝ ખાતેના એક મકાનના બીજા માળે આગ લાગતાં લોકોએ આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ આગ વધુ ભડકતાં પરિવારજનો બહાર નીકળી ગયા હતા. ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે આખા રૃમમાં આગ  ફેલાઇ હતી.વાયરિંગ અને ગેસ સિલિન્ડર બંને સળગ્યા હોવાથી આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.આગમાં કિચનનો સામાન,પંખા સહિતની ચીજોને નુકસાન થયું હોવાનું મકરપુરા ફાયર બ્રિગેડના જવાન અંબાલાલે કહ્યું હતું. આ જ રીતે ભાયલીના આસ્થા એન્ક્લેવ ખાતે એક ફ્લેટમાં આગ લાગી હતી.જેમાં એસી,પીઓપી,ફર્નિચર તેમજ અન્ય ઘરવખરીને નુકસાન થયું હતું.આગનું કારણ શોર્ટસર્કિટ હોવાનું મનાય છે.ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી હતી.

(6:36 pm IST)