-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Saturday, 15th January 2022
રાજપીપળા સિવિલ હોસ્પિટલની લેબોરેટરીમાં સ્ટાફ મુકવા લેખિત જાણ કરવા છતાં સ્ટાફ ન મુકાતા મુશ્કેલી વેઠતા દર્દીઓ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સિવિલ હોસ્પિટલની લેબોરેટરીમાં સ્ટાફની અછત હોય નવો સ્ટાફ મુકવા બાબતે જવાબદારો એ સિવિલ સર્જનને લેખિત જાણ કરવા છતાં સ્ટાફ ન મુકાતા દર્દીઓ અને લેબ.ના સ્ટાફને મુશ્કેલીનો સામનો કરવો પડે છે
નર્મદા જિલ્લામાં હાલમાં કોરોનાના કેસ જોવા મળતા હોવાથી કોવિડના ટેસ્ટિંગ માટે રાજપીપળા સિવિલ અને કોવિડમાં લેબ ટેક્નિસિયન સહિતનો સ્ટાફ જરૂરી છે પરંતુ રાજપીપળા સિવિલમાં સ્ટાફની ઘટ હોવાથી લેબોરેટરી ના જવાબદારો એ સિવિલ સર્જનને ડિસેમ્બર,જાન્યુઆરી મહિનામાં લેબ. ટેકનિશિયન અને આસિસ્ટન્ટ ઓછા હોવાથી કોવિડ લેબમાં સ્ટાફની ભરતી કરવા લેખિત જાણ કરી હતી છતાં આજદિન સુધી સ્ટાફની ભરતી ન થતા દર્દીઓ અને લેબોરેટરી નો હાજર સ્ટાફ મુશ્કેલી માં મુકાયા છે.માટે સિવિલ સર્જન સત્વરે સ્ટાફની ભરતી કરે તો દર્દીઓની તકલીફ નો અંત આવશે.
(11:12 am IST)