Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા આકાર લેતા અદ્યતન સ્મશાન માટે જૈન સમાજે 1.55 લાખનું દાન આપ્યું

class="ii gt" id=":1bl">
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે આકાર લઈ રહેલા ગેસ આધારિત સ્મશાન માટે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ, રાજપીપળા દ્વારા આકાર લઈ રહેતા અદ્યતન સ્મશાનની કામગીરી માટે દાનવીરો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે જેમાં અગાઉ ઘણા દાતાઓ એ દાન આપ્યા બાદ હાલમાં રાજપીપળા જૈન સમાજ દ્વારા પણ આ સ્મશાનની કામગીરી માટે 1.55 લાખનું દાન આપ્યું છે.
સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળાને ગેસ આધારિત સ્મશાન ગૃહના નિર્માણ માટેની કામગીરી માટે એક બાદ એક દાનનો પ્રવાહ મળતા હાલ આ સ્મશાન ની કામગીરી ઝડપી ચાલી રહી છે માટે નજીકના સમયમાં રાજપીપળા માં એક અદ્યતન સ્મશાન ગૃહ તૈયાર થશે.
 
(10:43 pm IST)