Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

સીસોદ્રા ગામાના નર્મદા કિનારેથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળતા પોલીસે ઓળખ માટે તજવીજ હાથ ધરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સીસોદ્રા ગામાના નર્મદા કિનારેથી એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળતા આમલેથા પોલીસે આ યુવાનની ઓળખ બાબતે કાર્યવાહી હાથ ધરી છે
આમલેથા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એલ.જી. વલવી પાસેથી મળતી માહિતી મુજબ સિસોદ્રા ગામના નર્મદા નદીના કિનારેના ભાઠામાથી એક 30 થી 40 વર્ષના અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે જોકે આ મૃતદેહ ચારેક દિવસ જૂનો હોવાનું તેની હાલત પરથી જણાઈ છે અને મૃતદેહ ડિકંપોઝ હાલતમાં હોય ઓળખ થઈ શકતી નથી ત્યારે તેના જમણા હાથની કોણી થી કાંડા વચે અંગ્રેજીમા આર તથા ગુજરાતીમા રાજુભાઇ માણકી લખેલ છે અને મૃતકે મરુંન કલરનુ લાઇનીંગ વાળુ આખી બાઇનુ સર્ટ તથા કમરે ભુરા કલરનુ જીન્સ પેન્ટ પૅહરેલ છે.તો તેમના વાલી વારસ બાબતે કોઇ હકિકત જાણવા મળે તો આમલેથા પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનતી કરાઈ છે.

   
(10:23 pm IST)