Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ખેડૂતોના ઊભા પાકને બચાવવા રાજ્યના ડેમ-જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો મુખ્યમંત્રી રૂપાણીનો નિર્ણય

વરસાદ ખેચાવાની પ્રવર્તમાન સ્થિતીમાં તા.૩૦મી સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો જળાશયોમાં અનામત રાખીને બાકીના પાણીનો જથ્થો તાત્કાલિક છોડવા સૂચના

અમદાવાદ   ;મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજ્યના ખેડૂતોના વ્યાપક હિતમાં વધુ એક સંવેદનશીલ નિર્ણય લેવાયો છે .

વરસાદ ખેચાવાની પ્રવર્તમાન સ્થિતીમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા રાજ્યના ડેમ-જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેતા તા.૩૦મી સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો જળાશયોમાં અનામત રાખીને બાકીના પાણીનો જથ્થો ખેડૂતોના ઊભા પાકને બચાવવા તાત્કાલિક અસરથી  છોડવા મુખ્યમંત્રીએ જળસંપત્તિ વિભાગને સૂચના આપી. છે

(6:23 pm IST)