Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

અમદાવાદમાં કોરોના વકર્યો : રાજ્યના છેલ્લા 24 કલાકમાં 143 નવા કેસ નોંધાયા:વધુ 51 દર્દીઓ સાજા થયા :આજે એક દર્દીનું મૃત્યુ થયું :રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,945: કુલ 12,14.405 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 59.719 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 608 કોરોનાનાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 72 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 53 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.14.280 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યનો કુલ મૃત્યુઆંક 10.944 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 99.06 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 59.719 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.04.68.418 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ 608 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી અને અને 608 દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 143 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 83 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 14 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 10 કેસ, સુરત કોર્પોરેશનમાં 9 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 8 કેસ, વડોદરામાં 4 કેસ, અમદાવાદ, જામનગર કોર્પોરેશનમાં 3-3 કેસ, આણંદ ,કચ્છ, નવસારી,સાબરકાંઠા,સુરત,અને વલસાડમાં 1-1 કેસ નોંધાયો છે 

(7:52 pm IST)