Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

વડોદરાના વાઘોડિયા રોડ નજીક છૂટાછેડા લીધા પછી પતિ અગાઉની પત્ની સહીત પુત્રી સાથે સંબંધ રાખવા મામલે પરિણીતાએ ફરિયાદ નોંધાવી

વડોદરા:શહેર વાઘોડિયા રોડ ઉપર રહેતા શોભનાબેન સારસ્વરએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પતિ શશીભાઇ સારસ્વર ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. મારા પ્રથમ લગ્નજીવન દરમિયાન પતિનું અકસ્માતમાં મોત નિપજતા શશી ભાઈ સાથે વર્ષ 2019 માં બીજા લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્ન થકી સંતાનમાં  ૧૭ વર્ષનો પુત્ર છે. જ્યારે મારા પતિના અગાઉ છૂટાછેડા બાદ મારી સાથે બીજા લગ્ન છે અને તેમને પણ સંતાનમાં દીકરી છે. જેથી  મારા દીકરાની તમામ જવાબદારી ઉપાડવી , પ્રોપર્ટી કાર્ડમાં મારુ નામ ઉમેરવું તથા અગાઉની પત્ની અથવા દીકરી સાથે કોઈ પણ પ્રકારનો સબંધ રાખવો નહીં તેવી શરત બાદ લગ્ન કર્યા હતા.  મારા પતિ કોઈકને કોઈક બહાના હેઠળ અગાઉ ની પત્ની તેમજ દીકરીને મળવા જાય છે તેમજ પ્રોપર્ટીમાં નામનો ઉમેરો કરવામાં ખોટા ખોટા બહાના કાઢી ઝઘડો કરી શારીરિક અને માનસિક ત્રાસ આપે છે.

(5:23 pm IST)