Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

અમદાવાદના વિઝોલમાં આવેલ મચ્છુનગરમાં રહીશોના મકાનની વચ્ચે ગેરકાયદેસર કચરો ઠાલવવામાં આવતા રહીશોમાં આક્રોશ

અમદાવાદ: પૂર્વ અમદાવાદના વિંઝોલમાં આવેલાં મચ્છુનગરમાં આવેલા રહીશોના મકાનોની વચ્ચે ગેરકાયદેસર રીતે કચરો ઠાલવવામાં આવતો હોવાથી રહીશોમાં આક્રોશ ફેલાવા પામ્યો છે.આ અંગે સ્થાનિક આગેવાન મુકેશભાઈ દેવીપૂજકની મળેલી પ્રતિક્રીયા મુજબ,ગેરકાયદેસર રહીશોના મકાનોની વચ્ચે ઠાલવવામાં આવતા કચરા બાબતે પબ્લિક હેલ્થ સુપરવાઈઝરને ફરીયાદ કરવામાં આવતી હોવા છતાં કચરો ઉપાડવામાં ના આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડાયરેકટર ઓફ સોલિડ વેસ્ટને રજુઆત કરવામાં આવી છે.આ પ્રકારે લોકોના મકાનની વચ્ચે કચરો ઠાલવવામાં આવતો હોવાથી રહીશો વિવિધ બીમારીનો ભોગ બની રહ્યા છે.

(5:53 pm IST)