Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

કેવડીયા સરદાર સરોવર ડેમ પાસે 1.2ની તિવ્રતાનો મોડી રાત્રીના ભૂકંપનો આંચકોઃ કેન્‍દ્રબિંદુ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી-નર્મદા ડેમથી 50 કિ.મી. દૂર

ગાંધીનગર: રાજ્યમાં કચ્છના ભૂકંપ બાદ અવાર નવાર સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં નાના-મોટા ભૂકંપ આંચકા અનુભવાતા હોય છે. ત્યારે આજે સરદાર સરોવર ડેમ પાસે મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભાવયો છે. રિક્ટલ સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 1.2ની નોંધવામાં આવી છે. માહિતી પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ડેમથી 53 કિ.મી. દૂર છે.

ભૂકંપનું કેન્દ્ર બિંદુ નર્મદા ડેમથી માત્ર 50 કિ.મી. નોંધાયુ હતું. જોકે, સરદાર સરોવર નર્મદા ડેમને 6.5 તિવ્રતા સુધીના ભૂકંપ સુધી કંઇપણ થઇ શકે તેમ નથી. કારણ કે સરદાર સરોવર ડેમની ડિઝાઈન અને બાંધકામ તે પ્રમાણે કર્યું છે.

ઈન્સ્ટીટ્યુટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચ, ગાંધીનગરના જણાવ્યા પ્રમાણે આજે સવારે 11:09 કલાકે કેવડિયામાં 1.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી-નર્મદા ડેમથી માત્ર 50 કિમી દૂર હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 1.2 નોંધાઇ હતી અને ભૂકંપની ડેપ્થ 18.1 કિ.મી.ની હોવાનું જાણવા મળ્યું છે.

(4:53 pm IST)