Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

સુરતના અંબાજી રોડ નજીક સોના-ચાંદીના પાઉડરની લાલચમાં ગટર લાઈનમાં ઉતરેલ બે યુવાનના મોત નિપજતા ચકચાર મચી જવા પામ્યો

સુરત: ભાગળ ખાતે અંબાજી રોડ આજે વહેલી સવારે સોના-ચાંદીના પાઉડરની લાલચમાં ગટર લાઇનમાં ઉતરેલા બે યુવાનના મોત નીંપજતા ચકચાર મચી જવા પામી હતી. જોકે ગટર લાઇનમાં ગુંગળામણ થવાથી મોત થયુ હોવાની શકયતા છે.

ફાયર અને પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ સિંગણપોરમાં અગિયારી છાપરામાં રહેતો ૩૩ વર્ષીય કરણ ઉર્ફ કાલુ અને તેના મિત્ર રોહિત રાઠોડ ગુરૃવારે વહેલી સવારે સોના-ચાંદીના પાઉડરની લાલચ માટે ભાગળના અંબાજી રોડ મહાલક્ષ્મીના ખાચા પાસે ગયા હતા. અને ગટર લાઇનમાં કચરા માંથી સોના-ચાંદીનો પાઉડર કાઢવા માટે કરણ ગટરમાં ઉતર્યો હતો. બાદમાં તેણે બચાવોની બુમો પાડતા તરત રોહિત નીચે ઉર્તયો હતો. બાદમાં તેઓ બુમો પાડતા હતા. આ વાત વાયુવેગ ફેલાતા સ્થાનિક લોકો એકત્ર થઇ ગયા હતા. તે સમયે ત્યાં પસાર થતા એક વ્યકિતની નજર પડતા તરત ફાયરજવાનો જાણ કરી હતી. લાશ્કરોએ ઓક્સિજન માસ્ક પહેરી અંદર ઉતરીને બંનેને વારાફરતી બહાર કાઢયા હતા.

(5:54 pm IST)