Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

મેવાસામાં ખાંટ રાજપુત સમાજ દ્વારા રામનવમી મહોત્‍સવ ઉજવાશે

૧૬ કુંડી યજ્ઞ તથા સત્‍યનારાયણ ભગવાનની કથાનું આયોજન

રાજકોટ તા. ૨૧ : સમસ્‍ત ખાંટ રાજપૂત સમાજ દ્વારા જેતપુર તાલુકાના મેવાસા ગામે ભકત શ્રી રામબાપાની જગ્‍યામાં તા. ૧૦ ના રવિવારે રામનવમી મહોત્‍સવનું આયોજન કરાયું છે.

અતિથિશ્રીઓ શ્રી રમેશભાઇ ધડુક (સાંસદ સભ્‍યશ્રી પોરબંદર), શ્રી જયેશભાઇ રાદડીયા (ધારાસભ્‍યશ્રી-જેતપુર), શ્રીમતિ ગીતાબા જે. જાડેજા (ધારાસભ્‍યશ્રી-ગોંડલ), શ્રી કુંવરજીભાઇ બાવળીયા (ધારાસભ્‍યશ્રી-જસદણ), શ્રી પ્રશાંતભાઇ એસ. કોરાટ (પ્રમુખશ્રી, યુવા ભાજપ પ્રદેશ), સુશ્રી જશુમતીબેન એસ. કોરાટ (માજી મંત્રીશ્રી), શ્રી મનસુખભાઇ ખાચરીયા (ડીરેકટરશ્રી), શ્રી કિરીટભાઇ પટેલ (પ્રમુખશ્રી, જીલ્લા ભાજપ-જુનાગઢ) વિ. પધારશે.

સવારે હવનનું કાર્ય શ્રી લલીતભાઇ ભરતભાઇ ઠાકર (રાજકોટ) વાળા કરાવશે તેમજ સાંજના સત્‍યનારાયણ ભગવાનની કથા રાખેલ છે. સમાજના આમંત્રીત મહેમાનોઃ શ્રી ધીરૂભાઇ સરવૈયા-જ્ઞાતિરત્‍ન, (સમસ્‍ત ખાંટ રાજપુત સમાજ) સુપ્રસિદ્ધ હાસ્‍ય કલાકારશ્રી-ખીરસરા), વેલજીભાઇ જે. સરવૈયા-વિરપુર (જલારામ) પ્રમુખશ્રી, જેતપુર તાલુકા ભાજપ, ભુપતભાઇ કે. સોલંકી-વાળા ડુંગરા (સભ્‍યશ્રી, જીલ્લા પંચાયત-રાજકોટ) શ્રીમતિ લાભુબેન અનુભાઇ ગુજરાતી-ભેસાણ,(સભ્‍યશ્રી, જીલ્લા પંચાયત-જુનાગઢ), જયસુખભાઇ ગુજરાતી (માજી પ્રમુખ નવાગઢ-જેતપુર નગરપાલીકા-કારોબારી અધ્‍યક્ષ નવાગઢ-જેતપુર નગરપાલીકા), શ્રી નાથાભાઇ ડી.મોરી (એડવોકેટ)-જુનાગઢ (પ્રમુખશ્રી, ભવનાથ ટ્રસ્‍ટ ખાંટ રાજપુત સમાજ), શ્રી કે. પી. ગુજરાતી-રાજકોટ (નિવૃત પુરવઠા મામલતદાર), શ્રી મુકેશભાઇ બચુભાઇ ઝાલા-ગોંડલ (ઉદ્યોગપતિ, જ્ઞાતિ અગ્રણી), શ્રી રાજુભાઇ એ. સરવૈયા-રાજકોટ (પ્રમુખશ્રી, કાર્ય. સમિતિ ખાંટ રાજપુત સમાજ, રાજકોટ) ઉપસ્‍થિત રહેશે.

દરમિયાન આ નિમિતે રાત્રે ૯ વાગ્‍યે કાનગોપી (સેવન્‍થ્રાનું પ્રખ્‍યાત કાનગોપી મંડળ)નું આયોજન કરેલ છે. તેમ ભુપતભાઇ  સોલંકી-પ્રમુખ (મો. ૯૮રપ૯ ૩૭૧૬૯)  રાજુભાઇ સરવૈયા-ઉપ પ્રમુખની યાદીમાં જણાવાયું છે.

(11:57 am IST)