Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિતે ૭૫ મહાનુભાવોનું સન્‍માન

રાજકોટ તા. ૮ : આઝાદી નાં અમૃત મહોત્‍સવના ૭૫ માં વર્ષ નિમિત્તે, આંતરરાષ્ટ્રીય હીરા દિવસના સ્‍થાપક હાર્દિક હુંડિયાજી એ ૭૫ મહાનુભાવોનું સન્‍માન કરવાનું આયોજન કર્યું છે તે કડીમાં મહારાષ્ટ્રનાં રાજયપાલ શ્રી ભગતસિંહ કોશ્‍યારીᅠ નાં હસ્‍તે ઈન્‍ટરનેશનલ ડાયમંડ ડે પુસ્‍તકના વિમોચનના શુભ અવસર પર મહારાષ્ટ્રના મહામહિમ શ્રી ભગતસિંહ કોશ્‍યરી, ડાયમંડ કિંગ ભરત શાહ, ગોલ્‍ડ સિનેમાના રતન જૈન, બિઝનેસમેન રાજમલ ભણસાલી, જાણીતા હોટેલિયર દીપેન માલદે, જાણીતા ઈન્‍ટિરિયર ડિઝાઈનર ભરત કનેડિયા, ઈન્‍ટરનેશનલ ડાયમંડ ડેના સ્‍થાપક હાર્દિક હુંડિયા, સકારાત્‍મક લેખનના સેન્‍ટિનલ આશુતોષ ગુપ્તા, ઇન્‍ટરનેશનલ ડાયમંડ ડેના કો-એડિટર રશ્‍મિ દવેનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

 

(11:32 am IST)