Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

અમદાવાદમાં પૂ. રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને આયોજીત કથામાં ભૂપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતિ

જૂનાગઢ : અમદાવાદ શ્રી લંબે હનુમાન તપોવન સેવા આશ્રમ ટ્રસ્‍ટ કઠવાડા ટેબલી દ્વારા તા. ૩ થી પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને શ્રીમદ્‌ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ યોજાયો છે. જેમાં સુવાસ કાસ્‍પીઆની સામે રાધે પાર્ટી પ્‍લોટની બાજુમાં નિકોલ અમદાવાદ ખાતે આ કથા અસંખ્‍ય શ્રધ્‍ધાળુ શ્રવણ કરી રહ્યા છે. દરમિયાન રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ પણ આ કથામાં ઉપસ્‍થિત રહી કથા શ્રવણ કરી હતી અને ભૂપેન્‍દ્રભાઇએ જણાવ્‍યું હતું કે, આજે આ કથામાં ઉપસ્‍થિત રહેવાનો મને મોકો મળ્‍યો અને પૂ. ભાઇશ્રીના શ્રીમુખે કથા સાંભળવાનો અમૂલ્‍ય લ્‍હાવો મળ્‍યો જેથી હું અત્‍યંત રાજીપો વ્‍યકત કરૂં છું. આ તકે શ્રી મહંત ૧૦૦૮ રોકડીયાબાપુ પણ ઉપસ્‍થિત રહેલ. (તસ્‍વીર : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

 

(10:58 am IST)