Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

વિશ્વ હેલ્થ દિવસે સુંદરપુરા ગામમાં આરોગ્ય સંજીવની રથ ફેરવી બિમાર લોકોની તપાસ કરી સારવાર આપાઈ

Alternative text - include a link to the PDF!

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : 7 એપ્રિલ એ વિશ્વ હેલ્થ દિવસ હોય જે સમગ્ર વિશ્વમાં ઉજવાઇ છે ત્યારે આ દિવસે નર્મદા જિલ્લામાં પણ Gvk EMIR ના આરોગ્ય સંજીવની રથ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બીમારી લોકોને તપાસી સારવાર આપવામાં આવી જેમાં નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામમાં આરોગ્યની એક ટિમ સંજીવની રથ સાથે પહોંચી ગામના બીમાર લોકોને જરૂરી તપાસ બાદ સારવાર અને દવાઓ આપી હતી

આ આરોગ્ય સેવામાં પ્રોજેક્ટ કોર્ડીંનેટર સચિન સુથાર,મેડિકલ ઓફિસર ડો. વર્ષાબેન વસાવા ,લેબ.ટેક્નિસિયન હેતલબેન વસાવા,ફાર્મસીસ્ટ જશવંતભાઈ બારીયા,પેરામેડિકલ સ્ટાફ માં જ્યોતિબેન ડામોર અને પાયલોટ માં ઝૂબેર મન્સૂરી એ સેવા આપી હતી.

(11:22 pm IST)