Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

સુરતના કતારગામ વિસ્તારમાં બીમારીથી કંટાળી યુવાને ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

સુરત: શહેરના કતારગામમાં આવેલા અન્દ્રમૌલી એપાર્ટમેન્ટમાં રહેતી 19 વર્ષીય મંજુ પ્રકાશભાઈ વિશ્વકર્મા શુક્રવારે સાંજે ઘરમાં રસોડામાં પંખા સાથે દુપટ્ટો બાંધી ઘરે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.

પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે મંજુના ત્રણ વર્ષ પહેલા નેપાળના કોલાલી ખાતે વેશ્યા યુવક સાથે લગ્ન થયા હતા. જોકે એક વર્ષ સુધી તેને આતરડાની તકલીફ હોવાથી સારવાર માટે એક વર્ષે સુરત ખાતે પિયરમાં આવી હતી અને તેની દવા ચાલતી હતી.

જોકે બીમારીથી કંટાળી જઈને તેણે આ પગલું ભર્યું હતું. તેના પતિ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. આ અંગે કતારગામ પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:00 pm IST)