Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં યોગિની એકાદશીની ઉજવણી : ર૬ પાર્ષદોને દિક્ષા અપાઇ

રાજકોટ, તા. :  ખેડા જિલ્લાનાં સુપ્રસિધ્ધ વડતાલશ્રી સ્વામીનારાયણ મંદિરમાં યોગિની એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી. લક્ષ્મી નારાયણદેવ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે ર૬ પાર્ષદોને દિક્ષા અર્પણ કરી હતી.

વડતાલ મંદિરના કોઠારી ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું કે, આચાર્ય મહારાજે અત્યાર સુધીમાં ૭૧૯ પાર્ષદોને દિક્ષા આપી છેએકાદશીના અવસરે ગોપાલાનંદસ્વામીના આશ્રમ, વડતાલ ગઢડા, જુનાગઢના ર૬ પાર્ષદોને દિક્ષા અર્પણ કરાઇ હતી.

આ તકે વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા. નૌતમ પ્રકાશદાસ, નિત્યસ્વરૂપ સ્વામી (સરધાર), લક્ષ્મીપ્રસાદ સ્વામી (બગસરા), નીલકંઠ સ્વામી, મુનીસ્વામી, વિવેક સ્વામી, ભકિત સંભવસ્વામી, હરી વલ્લભ સ્વામી (અમરેલી), પ્રભુચરણ સ્વામી (ધેડવાળા), શ્વેત સ્વામી (વેડ-ગુરૂકુલ), પી.પી. સ્વામી (સુરત) અને ધર્મનદનસ્વામી (ખંભાત) ઉપસ્થિત રહ્યા હતા.

(3:23 pm IST)