Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

રાજ્યમાં કોરોનાની વિદાય< નવા માત્ર 9 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 6 દર્દીઓ સાજા થયા: એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:કુલ મૃત્યુઆંક 10.942 થયો:કુલ 12.12.932 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 35.616 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદ અને વડોદરામાં 3-3 કેસ, દાહોદમાં 2 કેસ અને ગાંધીનગરમાં 1 કેસ નોંધાયો: : હાલમાં 67 એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે,કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ હતી ત્યારે છેલ્લા ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો હતો જોકે છેલ્લા કેટલાક દિવસોથી રાહત મળી રહી છે,આજે નવા 9 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 6 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામ લક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે
 રાજ્યમાં આજે કોરોનાના નવા 9 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 6 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 12.12.932 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.942 થયો છે, રાજ્યમાં રિકવરી રેટ 99.10 ટકા થયો છે
 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 35.616 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 10.62.61.463 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 67 એક્ટિવ કેસ છે,જેમાંથી એકપણ લોકો વેન્ટિલેટર પર નથી અને 67 લોકો સ્ટેબલ છે.અત્યાર સુધીમાં કુલ 12.12.932 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.942 થયો છે,

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 9 કેસમાં અમદાવાદ અને વડોદરામાં 3-3 કેસ, દાહોદમાં 2 કેસ અને ગાંધીનગરમાં 1 કેસ નોંધાયો છે

(7:45 pm IST)