Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

RSSના વડા મોહન ભાગવત કાલે ગુજરાતમાં: અમદાવાદમાં સંત સમેલનમાં આપશે હાજરી

શિવાનંદ આશ્રમ ખાતે હિન્દૂ મહાસભાના નેજા હેઠળ આયોજન

અમદાવાદ: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત આજે મોડી રાત્રે અમદાવાદ ખાતે આવી પહોંચશે. તેઓ આવતીકાલે 3 એપ્રિલના રોજ અમદાવાદમાં શિવાનંદ આશ્રમ ખાતે હિન્દૂ મહાસભાના નેજા હેઠળ આયોજિત સંત સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ સંત સંમેલનમાં વિવિધ ધાર્મિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે. RSS ના વડા મોહન ભાગવત સવારે 9:30 કલાકે શિવાનંદ આશ્રમ પહોંચશે. આ સંત સંમેલનમાં આખો દિવસ ચર્ચાઓનો દૌર ચાલશે.

 

(9:46 pm IST)