Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

ઓસ્કાર 2022 મેમોરીયમ સેક્શન લતા મંગેશકર- દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ આપવાનું ભૂલી ગયા

મુંબઈ:ઓસ્કાર 2022: મેકર્સ આજે એટલે કે 28 માર્ચે લોસ એન્જલસમાં આયોજિત 94મા એકેડેમી એવોર્ડ્સમાં પીઢ ગાયિકા લતા મંગેશકર અને અભિનેતા દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ આપવાનું ભૂલી ગયા હતા. આ વાતે હવે ચાહકોને ચોંકાવી દીધા છે ઓસ્કાર 2022 ના ઇન મેમોરિયમ વિભાગે ગયા વર્ષે મૃત્યુ પામેલા વૈશ્વિક ફિલ્મ ઉદ્યોગના કલાકારો અને ફિલ્મ નિર્માતાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. જો કે, આ સેગમેન્ટ તાજેતરમાં જ અવસાન પામેલા બે પ્રતિષ્ઠિત ભારતીય દિગ્ગજ કલાકારોની સ્મૃતિને માન આપવામાં નિષ્ફળ ગયું - અભિનેતા દિલીપ કુમાર અને ગાયિકા લતા મંગેશકર. આનાથી સોશિયલ મીડિયા પર ચાહકો નારાજ છે. ગયા વર્ષે 7 જુલાઈએ દિલીપ કુમારનું અવસાન થયું હતું, જ્યારે લતા દીએ આ વર્ષે 6 ફેબ્રુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા. બંનેએ તેમના અભિનય અને સંગીત દ્વારા ભારતીય સિનેમામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

 

(5:36 pm IST)