Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

બે વર્ષ પહેલા એક્‍ટિંગ છોડી દેવા માગતો હતોઃ પૂર્વ પત્‍નિ કિરણે સમજાવ્‍યો હતો

આમિર ખાનનો ચોંકાવનારો ખુલાસો : આમિર ખાનનું કહેવું છે કે, ફિલ્‍મોમાં વ્‍યસ્‍ત રહેવાને કારણે તે પરિવારને સમય નહોતો આપી શકતો

મુંબઇ, તા.૨૮: બોલિવુડના મિસ્‍ટર પર્ફેક્‍શનિસ્‍ટ આમિર ખાન ની દિવાનગી આજે પણ ચાહકોમાં અકબંધ છે. છેલ્લા કેટલાય વર્ષોથી આમિર ખાન દમદાર એક્‍ટિંગ દ્વારા મનોરંજન પૂરું પાડી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે, બોલિવુડનો આ સુપરસ્‍ટાર એક્‍ટિંગને અલવિદા કહી દેવાનો હતો? નવાઈ લાગીને?! આમિર ખાન શોબિઝને અલવિદા કહી દેવાનો હતો અને આ વાતનો ખુલાસો તેણે હાલમાં જ કર્યો છે. આમિર ખાને એક કાર્યક્રમમાં જણાવ્‍યું કે, છેલ્લા બે વર્ષમાં એવી કેટલીય ક્ષણ આવી હતી જયારે તેને ફિલ્‍મી દુનિયાને અલવિદા કહેવાનો વિચાર આવ્‍યો હતો. આમિરનું કહેવું છે કે, કરિયરના કારણે તેની પારિવારિક જિંદગી પર અસર થઈ રહી હતી.

એક ઈવેન્‍ટ દરમિયાન આ વિશે વાત કરતાં ૫૭ વર્ષીય આમિરે કહ્યું કે, તેને બોલિવુડ છોડી દેવાનો વિચાર આવ્‍યો હતો કારણકે તેને લાગતું હતું કે તે શ્નઝ્રડઉક્રજીડદ્મકઙ્ખ બનીને પોતાની બધી જ ઊર્જા માત્ર કામમાં લગાડી રહ્યો છે અને પરિવાર માટે બિલકુલ સમય નથી કાઢતો. ખાસ કરીને બાળકોને સમય ના આપી શકવાનું આમિરને દુઃખ હતું.

આમિર ખાને કહ્યું, ઙ્કજયારે હું એક્‍ટર બન્‍યો ત્‍યારે મેં વિચાર્યું કે પરિવાર તો હંમેશા મારી સાથે જ રહેશે અને મેં તેમને હળવાશમાં લેવાના શરૂ કર્યા. ત્‍યારબાદ હું દર્શકોના દિલ જીતવાની સફર પર નીકળી ગયો. તમે શરૂઆત કરો છો ત્‍યારે તમે ખૂબ મહેનત કરો છો પરંતુ હું ૩૦-૩૫ વર્ષ સુધી આ જ પ્રકારે કરતો રહ્યો. હું સ્‍વાર્થી બની ગયો હતો. હું માત્ર પોતાના વિશે વિચારતો હતો. હું મારા બાળકોની સાથે તો હતો પરંતુ જે રીતે હોવું જોઈએ તેવી રીતે નહોતો. પરંતુ હવે હું આવું કરી રહ્યો છું. ૫૬-૫૭ વર્ષની વયે મને આ વાતનો અહેસાસ થયો. હું વિચારું છું કે, આ વાતનો અહેસાસ મને ૮૬ વર્ષની વયે થયો હોત તો શું થાત? પરંતુ અત્‍યારે મારી પાસે સમય છે કે હું તેને સુધારી શકું. મારા બાળકો શું ઈચ્‍છે છે તે મને નથી ખબર એટલે જ આ એક મોટી સમસ્‍યા છે.

આમિરે આગળ કહ્યું, ‘મને લાગવા માંડ્‍યું કે, સિનેમાએ મને મારા પરિવારથી દૂર કરી નાખ્‍યો. મેં મારા પરિવારને કહ્યું કે હું એક્‍ટિંગ છોડી દઈશ અને માત્ર ફિલ્‍મો પ્રોડ્‍યુસ કરીશ. મેં તેમને કહ્યું કે હું માત્ર તમારા લોકો સાથે રહેવા માગુ છું. આ સાંભળીને મારો પરિવાર ચોંકી ગયો હતો.

આમિરના બાળકોએ ત્રણ મહિના બાદ તેને લાઈફમાં સંતુલન જાળવવાની સલાહ આપી હતી. ‘મારા બાળકો અને કિરણે મને કહ્યું કે, હું ખોટો છું. કિરણ ભાવુક થઈ ગઈ અને તેણે મને સમજાવ્‍યો કે ફિલ્‍મો તો મારી અંદર વસે છે. એટલે જ છેલ્લા બે વર્ષમાં દ્યણું થયું. મેં ઈન્‍ડસ્‍ટ્રી છોડી અને પાછો આવ્‍યો. છેલ્લા બે વર્ષ મારા માટે ખૂબ મુશ્‍કેલ રહ્યા હતા', તેમ આમિરે ઉમેર્યું.

આમિરે પોતાની વાત પૂરી કરતાં કહ્યું: ‘જયારે હું ૫૭ વર્ષનો છું અને આ દુનિયા (સિનેમા)એ મને ખૂબ આકર્ષ્‍યો છે. હું આના માટે એટલો પેશનેટ હતો કે મારી જવાબદારીઓ જ ભૂલી ગયો. હું પોતાની જિંદગી જીવતો હતો. મારા સપનાં પાછળનાસતો હતો. હું મારા સ્‍વજનો સાથે સમય નહોતો વિતાવી શકતો.'

આમિર ખાને પહેલા એક્‍ટિંગ છોડવાના નિર્ણય અંગે કેમ ના જણાવ્‍યું તેના કારણનો ખુલાસો કરતાં કહ્યું, ‘મેં શરૂઆતમાં આ વિષય પર વાત ન કરવાનું નક્કી કર્યું હતું કારણકે મને લાગ્‍યું કે, કેટલાક લોકો વિચારત કે મારી આગામી ફિલ્‍મ ‘લાલ સિંહ ચટ્ટા'ની માર્કેટિંગ સ્‍ટ્રેટજીનો ભાગ હશે.'

(10:00 am IST)