Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

સંજય દત્તની બાયોપિકમાં કામ કરવું સૌભાગ્યની વાત છે: દિયા મિર્જા

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી દિયા મિર્જાનું કહેવું છે કે સંજય દત્તની બાયોપિકમાં કામ કરવું તેના માટે સૌભાગ્યની વાત છે. રાજ કુમાર હીરાણીના નિર્દેશનમાં બનેલ સંજય દત્તના જીવન પર બનેલ  બાયોપીકનું શૂટિંગ  પૂરું થઇ ગયું છે. આ ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા રણબીર કપૂરે ભજવ્યું છે અને માન્યતા દત્તની ભૂમિકામાં દિયા મિર્જા જોવા મળવાની છે.

દિયા મિર્જા આ ફિલ્મમાં કામ કરીને ખુબ ખુશ છે અને તે કહે છે કે સંજય દત્તની બાયોપિકમાં કામ કરવું મારા માટે સૌભાગ્યની વાત છે. તેમજ રાજકુમાર હીરાની જેવા સફળ નિર્દેશક સાથે કામ કરીને પણ ખુબ ખુશ છું. આ ઉપરાંત આ ફિલ્મના તમામ કલાકારો સાથે કામ કરવું પણ ગૌરવની વાત છે.

(4:08 pm IST)