Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ફિલ્‍મી પરદે આવવા તૈયાર છે કરણ

ટીવી પરદે અનેક શો અને રિયાલીટી શો કરીને ઘર ઘરમાં જાણીતો બનેલો કરણ કુંદ્રા બિગ બોસમાં દેખાયા પછી તેને ખુબ ખ્‍યાતિ મળી હતી. આ શોમાં તેજસ્‍વી પ્રકાશ સાથે તેને પાંગરેલા પ્રેમને કારણે પણ તે વધુ ચર્ચામાં હતો. હવે તે રોમાન્‍ટીક થ્રિલર  ‘તેરે ઇશ્‍ક મેં ઘાયલ' નામના શોમાં ભુમિકા નિભાવી રહ્યો છે. આ સિરીયલમાં તે એકસો બાવીસ વર્ષના વરૂની ભુમિકામાં છે! તે કહે છે આ કહાની બે યુવાન અરમાન અને વીર તથા એક યુવતિ ઇશાની છે. અરમાન અને વીર બંને ભાઇઓ છે અને ભેડીયા એટલે કે વરૂ છે. ત્રણેયની કહાની જુદી છે. આ શો હાલમાં ટીવી પર દર્શાવાઇ રહ્યો છે અને દર્શકોને પસંદ પણ પડી રહ્યો છે. તેજસ્‍વી વિશે કરણ કહે છે કે તે મારા જીવનમાં આવી પછી મને એવું નથી લાગ્‍યું કે જીવન જીવવું મુશ્‍કેલ છે. નાની વાતોમાં મોટી ચિંતા કદી કરવી નહિ તે મને તેજસ્‍વીએ શીખવ્‍યું છે. કરણ કુંદ્રાની ઇચ્‍છા હવે બોલીવૂડના પરદે આવવાની છે. આ માટે તે તૈયારીમાં છે. રણદીપ હુડ્ડા અને ઇલિયાના સાથે તે ફિલ્‍મ કરી રહ્યો છે. 

(10:32 am IST)