Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

'જયેશભાઈ જોરદાર' મારા દિલની સૌથી નજીક છે :રણવીર સિંહ

મુંબઈ: સુપરસ્ટાર રણવીર સિંહ કહે છે કે તેની આગામી ફિલ્મ "જયેશભાઈ જોરદાર" તેના દિલની સૌથી નજીક છે, જેમાં તેણે દેશના મોટા દિગ્દર્શકો સાથે કામ કર્યું છે. રણવીર કહે છે કે હું ધન્ય અને નસીબદાર છું કે મને આ સ્ક્રિપ્ટ મળી જે લોકોને પ્રભાવિત કરશે. હુ આભારી છુ પડદા પર મેં જે ભૂમિકાઓ જીવંત કરી છે તેના પર પણ મને ગર્વ છે."મેં હંમેશાથી માન્યું છે કે જો મારે દેશના શ્રેષ્ઠ અભિનેતા-મનોરંજનકાર બનવું હોય, તો મારે એવા કામ કરવા પડશે જે બીજું કોઈ કરતું નથી."તેણે વધુમાં ઉમેર્યું હતું કે, 'જયેશભાઈ જોરદાર' એક એવી ફિલ્મ છે જેનો ભાગ બનવાનો મને ખરેખર આનંદ આવ્યો કારણ કે તેણે મને ફરી એક એવું પાત્ર ભજવવાની પ્રેરણા આપી કે જેનો હિન્દી સિનેમામાં કોઈ સંદર્ભ નથી.

(6:00 pm IST)