Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

લોકો ગંભીરતાથી સ્‍વીકારવા લાગ્‍યા છેઃ કિર્તી કુલ્‍હારી

અભિનેત્રી કિર્તી કુલ્‍હારીએ ફિલ્‍મો અને વેબ સિરીઝમાં વૈવિધ્‍યપુર્ણ ભુમિકાઓ થકી દર્શકોને આકર્ષિત કર્યા છે. જો કે મોટા ભાગના શો, ફિલ્‍મોમાં કિર્તી માટે સ્‍ક્રિન પર વધુ સમય ફાળવાતો નથી એ એક કમનસિબી છે. બોલીવૂડમાં એક દાયકાથી કામ કરી રહેલી કિર્તી કહે છે કે મેં સંઘર્ષ કરીને અહિ સ્‍થાન બનાવ્‍યું છે. તે કહે છે હું બોલીવૂડમાં હિરોઇન બનવાના વિચાર સાથે જ મોટી થઇ છું. મેં ઇન્‍ડસ્‍ટ્રીમાં એન્‍ટ્રી કરી એ પછી જ નાટકોમાં કામ કરવાનું અને વિદેશી ફિલ્‍મો જોવાનું શરૂ કર્યુ હતું. જેથી સિનેમા તરફથી મારી દ્રષ્‍ટી વિશાળ થઇ શકે. ઓટીટીએ પણ કિર્તીને ઓળખ અપાવી છે. તે કહે છે હું નિર્માત્રી બની પછી મને લોકો વધુ ગંભીરતાથી સ્‍વીકારી રહ્યા છે. મારો પહેલો પ્રોજેક્‍ટ નાયકા હતો. જેમાં મેં મુખ્‍ય ભુમિકા પણ નિભાવી હતી. સાહિલ સહગલ સાથેના લગ્ન તૂટી ગયા અંગે તે કહે છે કે નિર્ણય મુશ્‍કેલ હતો. આજે જે સ્‍થળે છું તેનાથી ખુશ છું.

(10:32 am IST)