Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

'મહાભારત'ના 'કૃષ્ણ' નીતીશ ભારદ્વાજે લીધા છૂટાછેડા : કહ્યું- છૂટાછેડા મૃત્યુ કરતાં પણ વધુ પીડાદાયક છે...

મુંબઈ: બીઆર ચોપરાના ઐતિહાસિક શો 'મહાભારત'માં શ્રી કૃષ્ણનું પાત્ર ભજવીને લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર એક્ટર નીતીશ ભારદ્વાજે 12 વર્ષ બાદ પત્ની સ્મિતા ગેટ ચંદ્રાથી અલગ થઈ ગયા છે. લગ્ન તૂટ્યા બાદ હવે અભિનેતાએ 'ડિવોર્સ' વિશે પોતાનો અનુભવ જણાવ્યો છે. પોતાના નિવેદનમાં તેણે 'છૂટાછેડા'ને સૌથી પીડાદાયક ગણાવ્યું હતું. આ સાથે લગ્ન તૂટવા પાછળના કારણો આપતાં જણાવ્યું હતું કે, છૂટાછેડામાં સૌથી વધુ તકલીફ બાળકો ભોગવે છે. તેથી આટલા મોટા નિર્ણયમાં બાળકોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ.

(6:07 pm IST)