Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

અભિનય વગર અધુરૂ લાગે છે ઋત્‍વિકને

અભિનેતા ઋત્‍કિવ ધનંજાનીએ ટીવી પરદે કામ કરવાની શરૂઆત કરી તેને એક દસાથી વધુ સમય વિતી ગયો છે. ૨૦૧૦માં તે બંદિની શોથી દર્શકો સામે આવ્‍યો હતો. પ્‍યાર કી એક કહાની, પવિત્ર રિશ્‍તા સહિતના શો તેણે કર્યા હતાં. એ પછી તે શો સંચાલન તરફ વળ્‍યો હતો. સંચાલક તરીકે તે ખુબ સફળ થયો હતો. તેણે જેટલી સિરીયલો કરી એના કરતાં વધુ તેણે રિયાલીટી શોમાં એન્‍કર તરીકે કામ કર્યુ છે. તે કબુલે છે કે સિરીયલની કહાનીઓ મને ઝડપથી આગળ વધતી અને મારા પાત્રનું મુલ્‍ય વધારતી દેખાતી નહોતી. આથી મેં એન્‍કરીંગને મહત્‍વ આપ્‍યું હતું. મારી સર્જનાત્‍મકતાને બહાર લાવવાની અહિ મને તક મળી હતી. હું વેબ સિરીઝમાં કામ કરીને પણ ખુશ છું. ઓટીટી પર મને સતત ઓફર્સ મળી રહી છે. ભલે હું એન્‍કરીંગમાં સફળ થયો પણ મારી અંદરનો અભિનેતા કામ માટે તલપાપડ રહ્યો છે. અભિનય વગર મને અધુરૂ અધુરૂ  લાગે છે. હું વધુ અભિનય કરવા ઇચ્‍છુ છું.

(10:08 am IST)