News of Thursday, 2nd February 2023
મુંબઇઃ હવે બોલિવૂડનું એક વધુ કપલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. એવી ચર્ચા છે કે, કિયારા અડવાણી તથા સિદ્ધાર્થ મલ્હોત્રાનાં રાજસ્થાનના જેસલમેરમાં યોજાનારાં ડેસ્ટિનેશન વેડિંગમાં મહેમાનો માટે હોટલો તથા ટેક્સીઓ બૂક થઈ ગયાં છે. આગામી એક બે દિવસમાં એમના લગ્નની વિધિઓ શરૂ થઈ જશે. કિયારા તેના લગ્નના ડ્રેસની ટ્રાયલ માટે મનિષ મલ્હોત્રાને ત્યાં પણ પહોંચી હતી. લગ્નની વિધીઓ ૫ થી ૮ ફેબ્રુઆરી સુધી ચાલશે.જોકે આ યુગલ તેમજ તેમના પરિવાર તરફથી આ અંગે જાહેર કરવામાં આવ્યું નથી. કિયારા પોતાના લગ્નમાં મનીષ મલ્હોત્રાનો ડિઝાઇન કરેલો પરિધાન પહેરવાની છે. તેની ટ્રાયલ માટે તે મનિષ મલ્હોત્રાને ત્યાં આવતી જતી દેખાઈ રહી છે. હાલમાં જ આથિયા શેટ્ટી અને કે એલ રાહુલના લગ્ન યોજાયા હતા. જેમાં ઘણી સેલિબ્રીટી પહોંચી હતી. આથિયા સુનિલ શેટ્ટીની દિકરી છે. જેમાં સુનિલ શેટ્ટીએ ધૂમ ખર્ચ કર્યો હતો.
કિયારા અને સિદ્ધાર્થના લગ્નમાં ૧૦૦-૧૨૫ મહેમાનો સામેલ થવાના છે. આ યાદીમાં ઘણી સેલિબ્રિટીઓના નામ પણ સામેલ છે. તેમણે લગ્ન માટે જેસલમેરનો પોપ્યુલર પેલેસ સૂર્યગઢને વેન્યુ તરીકે પસંદ કર્યો છે. આ હાઇપ્રોફાઇલ લગ્નમાં કરણ જોહરથી લઇને ઇશા અંબાણી જેવા મહેમાનો સામેલ થવાના છે. તેમના રહેવા માટે ૮૪ લકઝરી રૂમો બુકક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૭૦ ગાડીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં મર્સિડિઝ, જગુઆરથી લઇને બીએમડબલ્યૂ જેવી સામેલ છે. તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રાએ હાલમાં સોશિયલ મીડિયા પર શેયર કર્યું હતું કે તે ટૂંક સમયમાં કંઈક મોટી જાહેરાત કરવા જઈ રહ્યો છે. જે બાદ ફેન્સ તેમના લગ્નના સમાચારને કન્ફર્મ માની રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ 6 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી રાજસ્થાનના જેસલમેરમાં પરંપરાગત પંજાબી લગ્ન કરશે. લગ્ન ખૂબ જ પ્રાઈવેટ હશે જેમાં પરિવારના સભ્યો, સંબંધીઓ અને ખાસ મિત્રો જ સામેલ થશે. રિપોર્ટ મુજબ લગ્નમાં કેટલીક બિઝનેસ ફેમિલી અને ડાયરેક્ટર કરણ જોહર, મનીષ મલ્હોત્રા, પ્રોડ્યુસર અશ્વિની યાર્ડી સહિત કેટલાક સ્ટાર્સ લગ્નમાં સામેલ થશે.
તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લાંબા સમયથી રિલેશનશિપમાં છે. જ્યારે બંને પહેલીવાર ઓનસ્ક્રીન આવ્યા ત્યારે આ કપલની ક્યૂટનેસના ફેન્સ દીવાના થઈ ગયા હતા. આ પછી પણ સોશિયલ મીડિયા પર બંનેએ ખુલ્લેઆમ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાનું શરૂ કર્યું. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ્યારે પાપારાઝીએ સિદ્ધાર્થ મલ્હોત્રાને તેના લગ્ન વિશે સવાલ કર્યો તો તેણે માત્ર સ્માઇલ આપી હતી.
છેલ્લા કેટલાય સમયથી શેરશાહ મૂવી બાદ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્ન કરશે તેવી ચર્ચા ચાલી રહી હતી હવે તે ઘડી આવી ગઈ છે. લાંબા સમયથી રાહ જોનારા તેમના પ્રશંસકોની આતુરતા હવે ખત્તમ થશે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કિયારા અને સિદ્ધાર્થના લગ્નની વિધી અને ફંકશનની જવાબદારી મુંબઇની એક વેડિંગ પ્લાનરને સોંપવામાં આવી છે. હોટલ બુકિંગથી લઇને ટ્રાસપોર્ટેશન સુધીની દરેક તૈયારી પુરી થઇ ગઇ છે. હોટલ મેનેજમેમ્ટ દ્વારા આ લગ્નમાં આવનારા મહેમાનો અને ફંકશનોના આયોજનને ખાનગી રાખવામાં આવ્યા છે. સ્થાનિક સૂત્રોના અનુસાર, લગ્નમાં આવનારા મહેમાનો ૪ ફેબ્રુઆરીથી આવવાની શરૂઆત થઇ જશે. લગભગ ૪૦ જણા ૪ ફેબ્રુઆરીના રોજ મુંબઇથી ફ્લાઇટ દ્વારા જેસલમેર પહોંચવાના છે.