Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

જામનગરના પૂર્વ કમિશનર, આણંદના પૂર્વ કલેકટર

નિવૃત સનદી અધિકારી કૌશિક ભટ્ટનો જન્મદિન

રાજકોટ : રાજયના આઇ.એસ.એસ.કેડરના સચિવ કક્ષાના નિવૃત અધિકારી શ્રી કૌશિક એન.ભટ્ટનો જન્મ ૧૯પપ ના વર્ષની ૯ સપ્ટેમ્બરે થયેલ. આજે યશસ્વી જીવનના ૬૬માં વર્ષના પંથે પ્રયાણ કર્યું છે. પોતાના કાર્યકાળમાં બે વખત જામનગરમાં મ્યુનિસિપલ કમિશનર, આણંદમાં જિલ્લા કલેકટર, વડોદરામાં સરદાર સરોવર એજન્સીમાં મુખ્ય વહીવટી અધિકારી, રાજયમાં શ્રમ કમિશનર જમીન સુધારણા કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. હાલ સુખમય નિવૃત જીવન પસાર કરી રહ્યા છે.મો.૯૯૭૮૪ ૦પ૭પ૭ ગાંધીનગર

(11:36 am IST)