Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી પૂર્વ મુખ્‍ય સચિવ પી.કે. લહેરીનો જન્‍મદિન

રાજકોટ : શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી અને રાજયના નિવૃત મુખ્‍ય સચિવ પ્રવિણભાઇ લહેરીનો આજે જન્‍મ દિવસ છે. આજે ૮૦માં  વર્ષમાં પ્રવેશ કર્યા છે.

તા.ર૮ માર્ચ ૧૯૪પના રોજ જન્‍મેલા શ્રી લહેરી રાજુલા-મુંબઇ શિક્ષણ મેળવી મગુજરાત રાજય સનદી સેવામાં જોડાયા અને  ઉજજવળ કારકિર્દી સાથે રાજયના મુખ્‍ય સચિવ પદ સુધી પહોંચી સેવા નિવૃત થયા હતા. સોમનાથ મંદિરમાં વિકાસમાં તેમનું યોગદાન છે. તેવા પી. કે. લહેરીને જન્‍મદિને ઠેર ઠેર અભિનંદન શુભેચ્‍છા મો.૯૮ર૪૦ ૮૩૯૬૯ ઉપર મળી રહેલ છે.

(5:06 pm IST)