Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

આપકો આશીર્વાદ મિલે બડો સે, સહયોગ મિલે છોટો સે,ખુશીયા મિલે જગ સે, પ્યાર મિલે સબ સે, યહી દુઆ હૈ દિલ સે

નરહરિ અમીનના સુપુત્ર ચિ.વરુણનો કાલે જન્મદિનઃ ગાંધીનગરમાં ઉજવણી

રાજકોટ, તા., ૧૪: ગુજરાત રાજય આયોજન પંચના ઉપાધ્યક્ષ અને પુર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નરહરિ અમીન તથા શ્રીમતી નીતાબેનના સુપુત્ર ચિ. વરુણનો આવતીકાલે ૧પ ફેબ્રુઆરી ગુરૂવારે જન્મદિન છે. તેમના યશસ્વી જીવનના બાવીસમાં વર્ષમાં પ્રવેશ નિમિતે આવતીકાલે ગુરૂવારે સાંજે ૬.૩૦ થી રાત્રે ૯ વાગ્યા સુધી હીરામણી ફાર્મ પ્રતીક મોલ પાસે, સ્વામીનારાયણધામની બાજુમાં, કોબા-ગાંધીનગર રોડ, કુડાસણ, ગાંધીનગર ખાતે શાનદાર ઉજવણી અને પ્રીતી ભોજન સમારંભ યોજાનાર છે. રૂડા અવસર નિમિતે અમીન પરીવાર પર શુભેચ્છા વર્ષા (શ્રી નરહરિ અમીનનો મો. ૯૮રપ૦ ૦૬૬૬૭) થઇ રહી છે.  ચિ. વરુણે હીરામણી શિક્ષણ સંકુલમાં પ્રારંભથી ધો.૧ર સુધી અભ્યાસ કરેલ. હાલ નિરમા યુનિવર્સિટીમાં એમ.બી.એ.માં અભ્યાસ કરી રહયા છે. તેમની સમગ્ર શૈક્ષણીક કારકીર્દિ ઝળહળતી રહી છે. કુળદીપકના જન્મોત્સવની રળીયામણી ઘડીની વધામણી કરવા માટે અમીન પરીવારના શ્રી નરહરિ અમીન, નીતાબેન અમીન ઉપરાંત પ્રવીણભાઇ, ઘનશ્યામભાઇ, હરિકૃષ્ણભાઇ, મૃદુલાબેન વગેરે ઉમંગભેર તૈયારી કરી રહયા છે.

(11:17 am IST)