Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

નર્મદા જળસંપત્તિ ખાતાના અગ્રસચિવ મનીષ ભારદ્વાજનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના નર્મદા જળસંપત્તિ વિભાગના અગ્રસચિવ શ્રી મનીષ ભારદ્વાજ (આઇ.એ.એસ.-૧૯૯૭)નો જન્‍મ તા. ૮ ડિસેમ્‍બર ૧૯૭૨ના દિવસે થયેલ. આજે ૫૧માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ મુળ ઉત્તરપ્રદેશના વતની છે. ભૂતકાળમાં જામનગર અને ભરૂચમાં જિલ્લા વિકાસ અધિકારી, મહેસાણા અને જૂનાગઢમાં જિલ્લા કલેકટર, વડોદરામાં મ્‍યુનિસિપલ કમિશનર, રાજયમાં યુવા સેવા સાંસ્‍કૃતિક કમિશનર, રાહત કમિશનર, નાગરીક પુરવઠા નિગમમાં મેનેજીંગ ડીરેકટર કૃષિ સહકાર વિભાગમાં સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે.  (૨૨.૯)

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૮૦૩

મો. ૯૯૭૮૪ ૦૭૧૧૨ ગાંધીનગર

 

(10:44 am IST)