Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

જો બુમરાહ ઓડીઆઇ વર્લ્ડકપની બહાર થઇ શકે તો ભારતીય ટીમ માટે મોટો ઝટકો પડશેઃ શ્રીલ઼કાના પૂર્વ ફાસ્‍ટ બોલ દિલહારા ફર્નાન્‍ડો

ભારતને બુમરાહની સૌથી વધુ જરૂર પડશે

નવી દિલ્‍હીઃ ભારતીય ક્રિકેટ ટીમને બુમરાહની ખુબ જ જરૂર છે.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની વાપસી સતત ટાળવામાં આવી રહી છે. પીઠની ઈજાને કારણે એશિયા કપ 2022થી ટીમમાંથી બહાર રહેલો બુમરાહ આઈપીએલની આગામી સિઝન પણ રમી શકશે નહીં. IPLમાંથી બહાર થયા બાદ બુમરાહ વિશે એવા અહેવાલો છે કે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને ત્યાર બાદ ODI વર્લ્ડ કપની પણ બહાર થઈ શકે છે અને જો આવું થાય છે તો તે ભારતીય ટીમ માટે મોટો ઝટકો હશે.

બુમરાહના વર્લ્ડ કપમાંથી બહાર હોવાના સમાચાર પર શ્રીલંકાના પૂર્વ ફાસ્ટ બોલર દિલહારા ફર્નાન્ડોએ કહ્યું છે કે ભારતને વર્લ્ડ કપ 2023 માટે બુમરાહની સૌથી વધુ જરૂર પડશે. દિલહારા ફર્નાન્ડોએ કહ્યું છે કે ભારતને વર્લ્ડ કપ 2023 માટે રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહની સૌથી વધુ જરૂર પડશે. ફર્નાન્ડોએ કહ્યું છે કે બુમરાહ ગેમ ચેન્જર બોલર છે અને વિશ્વ કપમાં યજમાનોને તેની સૌથી વધુ જરૂર પડશે. બુમરાહ વર્લ્ડ કપમાં ટીમનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે.

(4:46 pm IST)