Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

યુઝર્વેન્‍દ્ર ચહલ અને ધનશ્રીના સંબંધો બગડયા? ઇન્‍સ્‍ટાગ્રામ પરથી હટાવી ‘સરનેમ'

નવી દિલ્‍હી : ટીમ ઈન્‍ડિયાના સ્‍ટાર સ્‍પિનર   યુઝવેન્‍દ્ર ચહલ આ દિવસોમાં ક્રિકેટમાંથી બ્રેક પર છે અને તે સીધો એશિયા કપમાં પરત ફરશે. પરંતુ યુઝવેન્‍દ્ર ચહલ પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં રહે છે. યુઝવેન્‍દ્ર ચહલે હાલમાં જ પોતાના ઈન્‍સ્‍ટાગ્રામ પર એક સ્‍ટોરી શેર કરી છે, જેના પછી તેના અને ધનશ્રી વચ્‍ચેના સંબંધોને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે.

વાસ્‍તવમાં યુઝવેન્‍દ્ર ચહલની પત્‍ની ધનશ્રી વર્માએ થોડા દિવસો પહેલા ઈન્‍સ્‍ટાગ્રામ પર તેનું નામ બદલ્‍યું હતું. પહેલા તે ધનશ્રી વર્મા ચહલ લખતી હતી, પરંતુ હવે તેણે માત્ર ધનશ્રી વર્મા લખવાનું શરૂ કર્યું છે. આ ફેરફાર બાદ યુઝવેન્‍દ્ર ચહલે તેના ઈન્‍સ્‍ટાગ્રામ પર એક સ્‍ટોરી શેર કરી, જેમાં લખ્‍યું હતું ન્‍યુ લાઈફ લોડિંગ'.ત્‍યારબાદ સોશિયલ મીડિયા પર અનેક અટકળો લગાવવામાં આવી રહી છે, ટ્‍વિટર પર પણ ઘણા ચાહકોએ બંને વચ્‍ચેના સંબંધો વિશે વાત કરી છે.

ચહલની પોસ્‍ટે પણ સસ્‍પેન્‍સ ઉમેર્યું હતુંધનશ્રીની અટક હટાવ્‍યા પછી, ચહલે એક ઇન્‍સ્‍ટાગ્રામ સ્‍ટોરી શેર કરી જેમાં તેણે લખ્‍યું, ન્‍યૂ લાઇફ લોડિંગ. ચહલની આ પોસ્‍ટ પછી લોકોએ અટકળો શરૂ કરી હતી જેમાં કેટલાક લોકોએ આ કપલના અલગ થવાની વાત પણ કરી હતી. જો કે આ કપલ તરફથી હજુ સુધી કંઈ કહેવામાં આવ્‍યું નથી. જો કે બંને તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્‍યું નથી. આવી સ્‍થિતિમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે તમામ અટકળો છે.

ઉલ્લેખનીય છે કે યુઝવેન્‍દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ કોરોનાને કારણે દેશમાં લોકડાઉન દરમિયાન લગ્નની તસવીરો શેર કરી હતી. બંનેએ ડિસેમ્‍બર ૨૦૨૦માં લગ્ન કર્યા હતા અને સોશિયલ મીડિયા દ્વારા ફેન્‍સને તેની જાણકારી આપી હતી. ધનશ્રી વર્મા એક કોરિયોગ્રાફર છે, તેના ડાન્‍સ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.ᅠᅠᅠએશિયા કપમાં યુઝવેન્‍દ્ર ચહલ વાપસી કરશે.ટીમ ઈન્‍ડિયાના તમામ સ્‍ટાર્સ અને સિનિયર ખેલાડીઓ આ સમયે બ્રેક પર છે. કેએલ રાહુલની આગેવાની હેઠળની ટીમ ઝિમ્‍બાબ્‍વેમાં વનડે શ્રેણી રમી રહી છે, જયારે ટીમ ઈન્‍ડિયા આ પછી એશિયા કપ રમવાની છે. ત્‍યારે યુઝવેન્‍દ્ર ચહલ પણ ટીમ ઈન્‍ડિયામાં પરત ફરશે.

 

(1:11 pm IST)