Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ઝીમ્બાબ્વે પ્રવાસમાં ભારતીય ક્રિકેટ ટીમ સાથે નહીં જોડાય દ્રવિડઃ લક્ષ્મણને જવાબદારી

મુંબઈ,તા.૧૩: ભારતની ઝિમ્બાબ્વે ટુર શરૃ થવામાં એક અઠવાડિયુ બાકી છે અને એ પહેલા જ ટીમ ઈન્ડિયામાં ઘણા બદલાવો જોવા મળી રહ્યાઙ્ગ છે. ૧૮ ઓગસ્ટથી ઝિમ્બાબ્વે સામે શરૃ થઈ રહી બ્ઝ્રત્ સિરીઝ માટે પહેલા ટીમના કેપ્ટનને બદલવામાં આવ્યા હતા અને હવે સમાચાર આવી રહ્યા છે કે આ માટે કોચ પણ બદલવામાં આવ્યા છે. ઝિમ્બાબ્વે સામેની આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ ટીમ સાથે સાથે નહીં હોય. રાહુલની જગ્યા એ નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેકટર વીવીએસ લક્ષ્મણ ટીમની સાથે ઝિમ્બાબ્વે જશે.ઙ્ગ

બીસીસીઆઈના સચિવ જય શાહે એક સમાચાર એજન્સીને આ વિશે માહિતી આપી હતી કે ઝિમ્બાબ્વે ટુર માટે નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેકટર વીવીએસ લક્ષ્મણ ભારતીય ટીમના કોચ બનશે. એ બદલાવ એટલ માટે કરવામાં આવ્યો છે કારણ કે સિનિયર ટીમ ઈન્ડિયાને એશિયા કપ માટે યુએઇ ટ્રાવેલ કરવું પડશે અને તેની સાથે કોચ રાહુલ દ્રવિડ પણ યુએઇ ટ્રાવેલ કરશે. એટલા માટે ઝિમ્બાબ્વે ટુરના કોચ વીવીએસ લક્ષ્મણને બનાવવામાં આવ્યા છે.

(3:22 pm IST)