Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

કોરોનાના લીધે કોમનવેલ્થની મશાલ અમદાવાદ નહિ આવે

નવી દિલ્હીઃ આગામી ૨૮ જુલાઇએ ઇંગ્લેન્ડના બર્મિંગહેમમાં શરૂ થનારી કોમનવેલ્થ ગેમ્સની મશાલ ભારત આવી પહોંચી છે અને ટોકયો ઓલિમ્પિકસના સિલ્વર મેડલીસ્ટ કુસ્તીબાજ રવિ દહિયાના હસ્તે મશાલની ભારતમાં સફર દિલ્હીથી શરૃ થઇ હતી. રાણી એલીઝાબેથનો સંદેશ ધરાવતી આ મશાલ અમદાવાદ પહોંચાડવાની હતી. પરંતુ કોવિડની મહામારીને લીધેએ કાર્યક્રમ રદ થયો છે અને હવે મશાલને બેંગ્લોર તથા ભુવનેશ્વર પહોંચાડવામાં આવશે.

(4:15 pm IST)