Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

રોહીત-વિરાટ ઓપનીંગ કરે, રાહુલ રીઝર્વ ઓપનરઃ પંડયા બ્રધર્સ ટીમમાં

ટી-૨૦ વર્લ્ડકપ માટે ગાવસ્કરની ટીમ : સ્પીનર તરીકે જાડેજા, દિપક ચાહર અને ચહલની પસંદગી

નવી દિલ્હીઃ સુનીલ ગાવસ્કરે ટી-૨૦ વર્લ્ડ કપ માટે પોતાની ૧૫ ખેલાડીઓની ભારતીય ટીમની જાહેરાત કરી છે.  પોતાની ૧૫ સભ્યોની ટીમનું વર્ણન કરતા   ગાવસ્કરે વિરાટ કોહલી અને રોહિત શર્માને ટીમના ઓપનર તરીકે પસંદ કર્યા છે. જ્યારે   શિખર ધવનને ટીમમાંથી બહાર કર્યા છે. કેએલ રાહુલને રિઝર્વ ઓપનર જ્યારે  સૂર્યકુમાર યાદવને ત્રીજા નંબર પર બેટિંગ માટે પસંદ કર્યા છે. નંબર ચાર માટે હાર્દિક પંડ્યા અને પાંચમા ક્રમે ક્રુણાલ પંડ્યાને પોતાની ટીમમાં સ્થાન આપ્યું છે. જ્યારે શ્રેયસ અય્યરને બહાર રાખ્યા છે. સ્પિન ઓલરાઉન્ડર્સમાં   વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજાને સ્થાન આપ્યું છે.  ફાસ્ટ બોલરોમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર અને શાર્દુલ ઠાકુરને સ્થાન આપ્યું છે. સાથે જ તેમણે પોતાની ટીમના એકમાત્ર સ્પિનર તરીકે યુઝવેન્દ્ર ચહલની પસંદગી કરી છે. ટી-૨૦ વર્લ્ડ કપ માટે સુનીલ ગાવસ્કરની ટીમઃ રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (wk), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર અને યુઝવેન્દ્ર ચહલ.

(3:45 pm IST)