Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ધવન-આયેશાના લગ્નજીવનનો અંત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શિખર ધવનના છૂટાછેડા થયા છે. છેલ્લા ઘણા સમયથી ધવન અને આયેશા વચ્ચેના સંબંધો ખરાબ થયા હોવાના સમાચાર આવી રહ્યા હતા. થોડા સમય પહેલા બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા હતા. તેવામાં આયેશાની આ પોસ્ટે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ અલગ થઈ ગયા છે.  

ધવન અને આયેશાને એક પુત્ર છે. જો કે આયેશાના બીજા લગ્ન હતા તેને પ્રથમ લગ્નથી બે પુત્રીઓ છે. આયેશા ધવનથી ૧૦ વર્ષ મોટી છે. આયેશા ઓસ્ટ્રેલિયામાં ભણી છે. તેની માતા બંગાળી અને પિતા ઓસ્ટ્રેલિયન છે.  તે એક બોકસર રહી ચૂકી છે. ૨૦૧૨માં શિખ પરંપરા મુજબ તેમના લગ્ન થયા હતા.

(3:45 pm IST)