Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

ચેતેશ્વર અને હનુમાં વિહારીને આઇપીએલમાં રમવાની ઇચ્‍છા નથી

નવી દિલ્‍હીઃ આઇપીએલ માટે મીની હરાજી ૨૩ ડિસેમ્‍બરે કોચીમાં યોજાવાની છે. ઇન્‍ડિયાના બે ખેલાડીઓએ આ માટે પોતાના નામ આપ્‍યા નથી. એક બાજુ દરક ક્રિકેટર આઇપીએલ રમવા માંગે છે અને બીજી બાજુ ભારતના ૨ મોટા ખેલાડીઓએ આઇપીએલ ન રમવાનું મન બનાવી લીધુ છે. વાત થઇ રહી છે. ચેતેશ્વર પુજારા અને હનુમા વિહારીની જેમણે આઇપીએલ ૨૦૨૩ ઓકશન માટે પોતાનું નામ રજિસ્‍ટ્રેશન કરાવ્‍યુ નથી.

ચેતેશ્વર પુજારા અને હનુમા વિહારીને આઇપીએલ ૨૦૨૨માં કોઇપણ ટીમે ખરીદ્યા ન હતા.  આ ખેલાડીઓએ હવે ઓકશનમાં ન જવાનો નિર્ણય લીધો છે.

(4:03 pm IST)